
મુલાયમ મગજ, સ્વભાવ અને રાષ્ટ્રીય ગૌરવને પોષિત કરતી પરિવર્તક શિક્ષણ પ્રદાન કરીને ભવિષ્યના સ્વરૂપને ઘડવાની દૃષ્ટિ. અમે એ માણસોને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા, શૈક્ષણિક રીતે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા, અને સંકલન, એકતા અને શાંતિના મૂલ્યને પાલન કરવા માટે સશક્ત બનાવેલા સંમૂહની કલ્પના કરીએ છીએ.

પ્રારંભિક બાળકાવસ્થાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય અને સસ્તી શિક્ષણ પ્રદાન કરવાનો મિશન, જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સ્વભાવ વિકાસ પર ભાર મુકાય છે. અમે નવીનતા, શિસ્ત અને સાંસ્કૃતિક જાગૃતિના પરિપ્રેક્ષ્યમાં એક અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ માટે જરૂરી બિનમુલ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સહાય સેવા અને સર્વગ્રાહી માર્ગદર્શન પૂરું પાડવાનું જેથી દરેક વિધાર્થી આજના સ્પર્ધાત્મક દુનિયામાં સફળ અને પ્રભાવશાળી બની શકે.

સંસ્થાપક અધ્યક્ષ, શ્રીરામ એજ્યુકેશન સોસાયટી
શ્રી રમેશભાઈ પંડ્યાજી એ તેમના સામાજિક કાર્યની શરૂઆત વર્ષ 1978 થી કરી હતી અને તેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણના ક્ષેત્રમાં એક આદર્શ વ્યક્તિત્વ તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે ગરીબ વિધાર્થીઓને મફત નોટબુક પુસ્તકો અને નોંધપાત્રોની વિતરણ, ગરીબોને મફત કપડાં આપવાનું, તેમજ વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને ઘર માટે જરૂરી સામાન પૂરું પાડવાનું કાર્ય કરી રહેલ છે. તેમણે ગરીબ વૃદ્ધો માટે મફત મોતી બિંદુના ઓપરેશનના પ્રોજેક્ટ્સ ચલાવે છે.
તેમણે ઇચલકરંજી શહેર ગલ્લા વાળા નાના વેપારીઓના સંઘટન ની સ્થાપના કરી હતી, જ્યાં નાના વેપારીઓ રેડીમેડ કપડાં, સ્ટેશનરી, જનરલ સ્ટોર, ચા-પેય, ટાયર પંકચર જેવી સેવાઓ નાના વ્યાપારીઓ આપતા હતા. જ્યારે ઇચલકરંજી નગરપાલિકાએ આ વેપારીઓના ગલ્લા વાળા ઓને I હટાવવા આક્રમણ શરુ કર્યું, ત્યારે શ્રી રમેશભાઈ પંડ્યાજી એ આ વેપારીઓને એકત્રિત કરીને તેમના હક્કો માટે આંદોલન શરૂ કર્યું. તેમના પ્રયત્નોથી વેપારીઓને રાજારામ સ્ટેડિયમ, ઇચલકરંજી ખાતે પુનર્વસાવાયા, જેનાથી નાના ઉધોગોને નવી દિશા મળી.
તેમનુ આંદોલન ઇચલકરંજી સુધી મર્યાદિત ન રહ્યુ તેમણે પંઢરપુર, સાંગલી, કરાડ, સિંધુદુર્ગ, અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં નાના વેપારીઓને ન્યાય અપાવવા મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેમના નેતૃત્વને કારણે નાના વેપારીઓ વચ્ચે તેઓએ વિશાળ માન-સન્માન મેળવ્યા છે.
શ્રી રમેશભાઈ પંડ્યાજી એ શ્રીરામ સહકારી બેન્કની સ્થાપના કરીને, તેમણે ઇચલકરંજીના વેપારી અને ઉદ્યોગકારોને આર્થિક ટેકો પૂરો પાડ્યો. સંસ્થાપક અધ્યક્ષ તરીકે તેમણે બેન્કને એક મજબૂત નાણાકીય સંસ્થા તરીકે વિકસાવી, જે આજે ડી.વાય. પાટિલ સહકારી બેન્ક તરીકે ઓળખાય છે.
શ્રી રમેશભાઈ પંડ્યાજીએ ઇચલકરંજીમાં ગરીબોને રહેઠાણ આપવાનું કાર્ય કર્યું. તેમણે નગરપાલિકાના ઓપન પીસમાં ઝૂંપડપટ્ટી બનાવડાવી અને ગરીબોને વસાવવા માટે શ્રીરામ નગર અને શ્રી ગણેશ નગર જેવા નામો આપી તે વિસ્તારમાં રહેવા માટે તેમની વ્યવસ્થા કરી. જ્યારે શ્રી ગણેશ નગર ઝુંપડપટ્ટી આગમાં બળી ગઈ, ત્યારે તેમણે ફરીથી નગરપાલિકા સામે આંદોલન કરીને 102 નં. સાઇટ પર નગરપાલિકા મારફત પાકા મકાન બનાવીને ગરીબોને રહેવા માટે નગરપાલિકા તરફથી જગ્યા પૂરી પાડી.
તેઓ સાપ્તાહિક સત્યમુખ અને સત્યમુખ ન્યૂઝ મીડિયા 24 ના સંપાદક પણ છે. આ માધ્યમથી તેઓ ગરીબો અને જરૂરિયાત મંદોને ન્યાય અપાવવા અને જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે.
તેમના સામાજિક યોગદાન માટે તેમને રાષ્ટ્રીય વિકાસ રત્ન ગોલ્ડ અવોર્ડ, ભારત વિકાસ ગોલ્ડ અવોર્ડ (નવી દિલ્હી) અને મહારાષ્ટ્ર પત્રકાર સંઘ તરફથી સહકાર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ ગ્રૂપ ઓફ મીડિયા મહારાષ્ટ્ર દ્વારા તેમને સન્માનપત્ર અને સન્માન ચિહ્ન આપવામાં આવ્યા છે.
આજે તેમના નેતૃત્વ હેઠળ શ્રીરામ એજ્યુકેશન સોસાયટી સમાજમાં જનજાગૃતિ લાવવા, મદદ આપવાનું અને સામાજિક કાર્યને આગળ વધારવાનું કાર્ય કરી રહી છે. તેઓ હજુ પણ સમાજના નબળા વર્ગના હકો માટે સમર્પિત છે.
ભવિષ્યમાં, તેઓ જવાબદાર અને દેશપ્રેમી નાગરિકોની ઉત્પત્તિ કરવાનો સંકલ્પ ધરાવે છે. તે બાળકોને તેમના માતા-પિતા, મહિલાઓ અને વૃદ્ધોમાં એકબીજા પ્રત્યે સન્માન અને દેશહિતના સંસ્કારો માટે જન જાગૃતિ કરવાનું કામ શરૂ જ છે. તેઓ ઇતિહાસના મહાન લોકો અને તેમના સંઘર્ષ વિશે કિશોર પેઢીને પ્રેરણા આપવા માટે નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરે છે.
શ્રી રમેશભાઈ પંડ્યાજીનું કાર્ય પ્રામાણિકતા, ત્યાગ, વિશ્વાસ, પ્રેમ અને નમ્રતા ના પ્રતિક સ્વરૂપે છે. તેઓના પ્રયત્નોનો પ્રભાવ પરિવર્તન અને સમાજના દરેક વર્ગના સશક્તિકરણ પર પડી રહ્યો છે.

